Thursday, March 30, 2023
HomeHealth tipsરાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે .

લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ , મેગ્નેશિયમ , આર્યન સહિત ઘણા પોષક તત્વો સમાયેલા છે . તેમજ તેમાં એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટીઝ પણ જોવા મળે છે . જે બીમારીઓને દૂર કરવા માટે ઉપયોગી છે .

રાતના સૂતી વખતે લવિંગ કાઇને ગરમ પાણી પીવાથી કબજિયાત , પેટનો સામાન્ય દુખાવો , ગેસ , એસિડિટી જેવી પાચન સમસ્યાઓમાં રાહત આપે છે . દાંતના દુખાવાથી છૂટકારો પામવા માટે રાતના સૂતા પહેલા ર લવિંગને ચાવીને ખાધા બાદ એક ગ્લાસ ગરમ પાણી પી જવું . લવિંગના સેવનથી શરીરની બીમારીઓથી લડવાની ક્ષમતા વધે છે . માથાના દુખાવામાં રાહત આપે છે .

લવિંગ ચાવવાથી મુખદુર્ગધ દૂર થાય છે . ગળામાં તકલીફ જેવી કે , ગળુ બેસી જવું , ખરાબ થઇ ગયું હોય તો રાતના સૂતા પહેલા બે લવિંગ ખાઇ જવા અને એના પર એક ગ્લાસ ગરમ પાણી પીવું . ચાવીને લવિંગ ન ખાઇ શકાતા હોય તો લવિંગનો ભૂક્કો કરી લેવો જેને એક ગ્લાસ પાણી સાથે ભેળવી ઉકાળવું અને હુંફાળું થતા પીવું . બાળકોને કબજિયાત તેમજ ઉધરસ જેવી તકલીફ થવાથી એક લવિંગના ભુકાને અડધો ચમચો મધ સાથે ભેળવી ખવડાવવું . – સુરેખા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments