Skip to content

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવું ફરજીયાત લિન્ક ન થાય તો 1 હજારનો દંડ અને પાનકાર્ડ રદ થશે

બેંકો દ્વારા પણ બંને કાર્ડ લિંક કરવા ગ્રાહકોને મેસેજ કરાયાc 31 મી સુધીમાં પાન – આધાર લિંક નહીં કરાવશો તો પાનકાર્ડ રદ થશે એક લાખ કરદાતાના પાન – આધાર લિંક કરાવવાના બાકી જે કરદાતાઓએ અત્યાર સુધી પાનકાર્ડ અને આધાર લિંક કરાવ્યા નથી તેઓ માટે 31 માર્ચ છેલ્લો દિવસ છે , જો આધાર – પાનકાર્ડ લિંક નહીં કરાશે તો પાનકાર્ડ રદ થશે . બીજી તરફ બેન્કો દ્વારા પણ પાન અને આધાર લિંક કરાવવા મેસેજ કરાઈ રહ્યા છે . સી.એ વિરેશ રૂદલાલે કહ્યું કે , પાનકાર્ડ આધાર સાથે લિન્ક ન થાય તો 1 હજારનો દંડ કરાશે . એકવાર પાનકાર્ડ ઈનએક્ટિવ થયું તો બાદમાં આઇટી અધિકારી પાસે જઇ એક્ટિવ કરાવવું પડશે .

લિંક ન કરશો તો અનેક નુકસાન થઈ શકે બંને કાર્ડ લિંક ન થયા અને પાનકાર્ડ રદ થયો તો ધંધાકીય વ્યવહાર અટવાશે , IT રિટર્ન ભરી શકાશે નહીં . બેન્ક ખાતા ખોલી શકાશે નહી . ચાલુ ખાતાના પ્રશ્નો ઊભા થશે . ટીડીએસ ઉંચા દરે કપાશે અને ખાતામાંથી ઉપાડ પર 5 ટકા TDS લાગો . જ્યાં – જ્યાં પાનકાર્ડ જોડવાનો છે ત્યાં ત્યાં 10 હજારની પેનલ્ટી લાગશે . ઇન્કમટેક્સ – ટીડીએસ ફાઇલિંગ અટકતા પેનલ્ટી લાગશે .

Leave a Comment