જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. […]