Saturday, April 1, 2023
HomeGPSC Mains Q/Aવિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહો (PVTG)ના નિર્ધારણ માટેના માપદંડોને ઉલ્લેખિત કરો. તેમના...

વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહો (PVTG)ના નિર્ધારણ માટેના માપદંડોને ઉલ્લેખિત કરો. તેમના દ્વારા કેવી સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરો

આદિવાસી સમૂહો અંતર્ગત પણ ઘણા સમૂહ વિશેષ રૂપથી નબળા છે. જે સામાજિકની સાથે-સાથે આર્થિક રૂપથી પણ પછાત છે. વર્ષ 1973માં ઢેબર આયોગ દ્વારા આવા PVTGને એક અલગ શ્રેણીના રૂપમાં વર્ગીકૃત કર્યા હતા. જે આદિવાસી સમૂહો વચ્ચે અલ્પ વિકસિત છે.
• વર્તમાનમાં ભારતના 18 રાજ્યો અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં 75 PVTG અધિસૂચિત છે. PVTGના નિર્ધારણ માટે નીચેના માપદંડ છે.
• સ્થિર અથવા ઘટતી જનસંખ્યા
• નિમ્નતર સાક્ષરતા
• અર્થવ્યવસ્થાનું જીવન નિર્વાહ સ્તર

સમસ્યાઓ
• અપર્યાપ્ત આધારભૂત સર્વેક્ષણના કારણે તેમને કલ્યાણકારી યોજનાઓનો લાભ મડતો નથી.
• PVTG સૂચિના અપગ્રેડેશનનો અભાવ.
• આ સમૂહોની જનસંખ્યામાં સ્થિરતા ઉપરાંત તેજીથી ઘટાડો થઈ રહ્યો છે. ઉદા. છતીસગઢમાં બિરહોર જનજાતિ.
• ઓધોગિક પરિયોજનાઓ, પર્યટક ગતિવિધિઓ, જળવાયુ પરિવર્તનના કારણે તેના આવાસને ક્ષતિ પહોંચી રહી છે.
• નિર્ધનતાને કારણે તેઓ ભૂખમરી, કુપોષણ, સ્થાયી રોગ લ્યુકેમિયા વગેરેનો શિકાર બને છે.
• આ સમૂહો ખાસ કરીને મહિલાઓની શૈક્ષણિક સ્થિતિ અન્ય જન-જાતીય સમૂહની અપેક્ષાએ ઘણી ખરાબ છે.
• સુરક્ષિત પેયજળ, સ્વચ્છતા, દુર્ગમ ક્ષેત્ર તથા અન્ય માળખાકીય સુવિધાઓનો અભાવનો સામનો કરી રહ્યા છે.
• ઓળખ સંબંધિત માન્યતા તથા તેના અધિકાર વિશે જાગૃતતાની કમીથી તેઓ વધુ સંવેદનશીલ બની રહ્યા છે.

સરકારના પ્રયાસો
• વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહોના વિકાસ માટે આવાસ, ભૂમિ-વિતરણ, કૃષિ વિકાસ, પશુપાલન સહાય વગેરે માટે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
• બંધારણની કલમ – 275(1) અંતર્ગત અનુસૂચિત જનજાતીય સમૂહો માટે કાર્ય કરનારને વિતીય સહાયતા સરકાર દ્વારા આપવામાં આવે છે.
• તેમના વન અને આવાસીય અધિકારને સંરક્ષિત કરવા માટે કાનૂની માન્યતા.

કોઈ પણ PVTG ગ્રુપ માટે યોજના બનાવતા સમયે તેના સ્થાનીય સંસાધન તથા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાર્ય કરવાથી આ સમૂહોની સ્થિતિમાં આવશ્યક સુધાર લાવી શકાશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments