શું તમે જાણો છો ગિરનારની લીલી પરીક્રમા કરવા પાછળનું રહસ્ય

ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાંની એક વાર્તા છે લગભગ 30000 વર્ષ પહેલાં , પૃથ્વી પર પૃથ્વીની ગતિન પ્રતિ કલાક 25000 કિ.મી. હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વત ની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો ગિરનાર હિમાલયનો પુત્ર છે તેથી તે માતા પાર્વતીના ભાઈ થાય . માતા પાર્વતી અને શિવનો લગ્ન સમારોહ 20000 વર્ષ પહેલા હિમાલયમાં થયો હતો.તેની બહેનનાં લગ્ન મા હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો .

ગિરનાર ને હિમાલય જવા માટે કોઈ શક્ય ગતિન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન રૂષિ મુનિ , નવગ્રહ અષ્ટ સિદ્ધિ નવનીધી 52 વીર 64 દેવી 11 જળદેવતા , નવનાગ , અષ્ટ વસુ કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનાર ની પરિક્રમા મા કરી , તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા સને ત્યાર થી આજે પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી – દેવતાઓ ગિરનાર પર્વત ના જંગલ ના માર્ગમાં રૉકાણા હતા . અને આ હેતુ માટે આજે પણ તે જ પરમ્પરા રીતે જ ગિરનાર ની લીલી પરિક્રમા કરવામાં આવે છે.અને લાખોની સંખ્યામા લોકો પરિક્રમામા આવે છે .

#જય #ગિરનારી #લીલી #પરિક્રમા #girnar parikrama #girnar #prikrama #devi #devata