Skip to content

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ

કૅન્સર દૂર રાખવા શું કરશો?

જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે.

નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ ભોજન લેવું. નિયમિત કસરત, યોગ, ધ્યાન વિ. કરવાં. ખાસ કરીને ખોરાકમાં પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું. ફળો, ફળોનો જ્યૂસ વિ. લેવાં. પાણી વધારે પ્રમાણમાં પીવું. ૭ જમ્યા બાદ ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું રાખવું. છ એક સફરજન દરરોજ ખાવું. બે ભોજન વચ્ચે આઠ કલાકનું અંતર રાખવું. રાત્રિભોજન બાદ બીજા દિવસના નાસ્તા/ભોજન વચ્ચે ૧૬ કલાકનું અંતર રાખવું. છ અઠવાડિયે એકવાર અચૂક ઉપવાસ કરવો જોઈ પાણી પણ ન પીવું.

પડીકાંમાં આવતી પેક/પ્રિઝર્વેટિવ આઇટમો ન ખાવી. મેંદાનો બને ત્યાં સુધી ત્યાગ કરવો. ઠંડાં પીણાં ન પીવાં. ઠંડું કે વાસી ન ખાતાં ગરમ ખોરાક લેવો. પૂરતી

ઊંઘ લેવી, તણાવમુક્ત રહેવું. વધારે પડતું શરીર જાડું (ચરબીયુક્ત) ન થાય તેનો ખ્યાલ રાખવો. રાત્રિના ઉજાગરા ન કરવા. આદું, અખરોટ, અંજીર, દાડમ, હળદર, લસણ, પાલક તેમજ લીલાં શાકભાજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો.

કેન્સરની કુદરતી સારવાર આ રીતે કરો મોંઘી દવાથી રાહત મળશે.

  • સૌ પહેલા કેન્સરના રોગી ત્વચા, ફેફસા, કીડની અને આંતરડા સાફ કરો, કિડનીની સફાઈ માટે એનીમા લેવો જોઈએ. ૪ દિવસ રોગી માત્ર સંતરા, દ્રાક્ષ, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરે રસવાળા ફળ લો. ગાજર વગેરે કાચા શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. ત્યાર પછી નીચે જણાવેલ ડાઈટ ચાર્ટ ફોલો કરો.
  • જુના સમયમાં કેન્સરની દવા તરીકે લસણનો ઉપયોગ કરતા હતા. જે લોકો વધુ પ્રમાણમાં લસણ ખાય છે તેમને કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે.
  • એક કિલો પાણીમાં ચાર ચમચી તજ પાવડર નાખીને ઉકાળો. ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને આખા દિવસમાં થોડું થોડું કરીને પીવું જોઈએ.
  • થોડા દિવસો સુધી આનો પ્રયોગ પછી રોગીને કુદરતી આહાર આપવો જોઈએ, જેવા કે લસણ, ટમેટા, ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી વગેરે, તે ઉપરાંત અંકુરિત અનાજ, બદામ વગેરે.
  • હેબર્ટ વિશ્વ વિદ્યાલય દ્વારા ૧૨૦૦ કુટુંબ ઉપર કરવામાં આવેલ અધ્યયન મુજબ જે કુટુંબોમાં ગાજર, ટમેટા, સલાડ, લીલા પાંદડાવાળા શાકભાજી, મેવા, તરબૂચ નો વધુ ઉપયોગ થાય છે, તેમાં કેન્સરની શક્યતા એટલી જ ઓછી જોવા મળેલ છે. આ બધા સાથે તે પણ જરૂરી છે કે મસ્તિકને ખુબ જ આરામ આપવામાં આવે અને માનસિક ડિપ્રેશન દુર રાખવામાં આવે.

કેન્સરના રોગીને મતલી, ઉલટી, ઉબાક આવે તો શું કરવું

કેન્સરના રોગીને ઉલટી હોય તો તેને ૨-૨ કલાકના અંતરે આદુ અને ફુદીનાનો રસ ૨-૨ ચમચી આપતા રહો.

કેન્સરના રોગીને દુખાવો થાય તો શું કરવું.

કેન્સરના રોગીને વધુ પ્રમાણમાં દુખાવાનો સામનો કરવો પડે છે તેવામાં રોગીને અડધી ચમચી (૨ ગ્રામ) અશ્વગંધા નું ચૂર્ણ પાણી કે જ્યુસ સાથે દિવસમાં બે વખત અને જીન્સેંગ પાવડર નો અડધો અડધો ગ્રામ સવાર સાંજ પાણી કે જ્યુસ સાથે આપો.

કેન્સર નાશક

કેન્સરના રોગીને દિવસમાં ૩ વખત એક એક કપ કોબીનું જ્યુસ જરૂર પીવું જોઈએ.

કેન્સરના રોગીને રાત્રે સુતા સમયે

૫૦ મી.લી. ગૌમૂત્ર (તેમાં પણ ખાસ કરીને કાળા રંગની દેશી ગાય જો ગર્ભવતી ન હોય) તેમાં ૫૦ મી.લી. પાણી ભેળવીને પિવરાવો અને એક વખત ઉકાળી લેવું ઉકળ્યા પછી તેમાં અડધી ચમચી (૩ ગ્રામ) હળદરનો પાવડર ભેળવીને સારી રીતે મિક્સ કરીને ઘૂંટડે ઘૂંટડે પીવો. ગૌમૂત્ર ન મળે તો ગૌઅર્ક ઉપયોગમાં લો. (ધ્યાન રાખશો કે ગૌમૂત્ર જ ઉત્તમ છે. તે ન મળે તો અર્ક નો ઉપયોગ કરો.)

Leave a Comment