બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે

અતીવીષની કળી : અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી . અતીવીષા એટલે અતીવીષની કળી . એ બાળકોનું ઔષધ છે . અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે .

આથી જે બાળકને કાચા , ચીકણા કે પાતળા ઝાડા થતા તેમના માટે ઉત્તમ ઔષધ છે . અતવષ ઉત્તમ આમ પાચક પણ છે વળી એ કડવાશને લીધે તાવ , પેટના કૃમી અને કફનો નાશ કરે છે . અતીવીષનું ચુર્ણ બાળકોને આખા દીવસમાં અડધી ચમચી જેટલું પરંતુ ખુબ નાના બાળકને તો માત્ર ઘસારો જ આપવો .

માના ધાવણ જેવું તે નીર્દોષ ઔષધ છે . અતીવીષની કળી કંઈક ગરમ , તીક્ષ્ણ , અગ્નીદીપક , ગ્રાહી – મળને બાંધનાર , ત્રીદોષશામક , આમાતીસાર , કફપીત્તજવર , ઉધરસ , વીષ , ઉલટી , તૃષા , કૃમી , મસા , સળેખમ , અતીસાર અને સર્વ વ્યાધીહર ગણાય છે . અતીવીષ સર્વદોષહર , દીપનીય પાચનીય અને સંગ્રાહક ઔષધ તરીકે સર્વોત્તમ છે .

જે રોગમાં જઠરાગ્નીને પ્રદીપ્ત કરવાની , આહારને પચાવવાની તથા મળને બાંધવાની ક્રિયા કરવાની હોય તથા પ્રકોપ પામેલા વાયુ , પીત્તાદી દોષોને શાંત કરવાની જરૂર હોય તેમાં અતીવીષ સર્વોત્તમ છે . આ ઉપરાંત અતીવીષ લેખનીય – ચોટેલા મળને ખોતરીને ઉખાડવાનો- ગુણ પણ ધરાવે છે .

અતીવીષની કળી ધોળી , કાળી અને પીળી એમ ત્રણ પ્રકારની મળે છે . પણ ઔષધમાં ધોળીનો જ ઉપયોગ થાય છે . કળી ભાંગીને સફેદ હોય તે જ લાવીને વાપરવી . અતીવિષ અતીસાર – ઝાડાનું ઉત્તમ ઔષધ છે . કોઈ પણ પ્રકારના ઝાડામાં દીપન , પાચન અને સંગ્રાહી ઔષધની જરૂર હોય છે . અતીવીષની ફળીમાં આ ત્રણ ગુણ છે અને તે આમનાશક પણ છે .

અતીસારમાં સુંઠ અને અતીવીષા બંનેનું ૫-૫ ગ્રામ ચુર્ણ ૧ કીલો પાણીમાં નાખી મંદ તાપે ઉકાળવું . અડધું પાણી બળી જાય ત્યારે ગાળીને ઠંડુ પાડી લીંબુનો કે દાડમનો રસ ઉમેરી પી જવું . એનાથી આમનું પાચન થાય છે , જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને પાતળા ઝાડા બંધ થાય છે .

કોઈ પણ પ્રકારના પાતળા ઝાડામાં આ ઉપચાર કરી શકાય . મળ બંધાઈ જવાથી અતીસાર મટે છે . રક્તાતીસાર અને પીત્તાતીસાર સીવાયના ઝાડામાં આ ઉપચારથી ફાયદો થાય છે .